Thursday, December 31, 2009

ચાલો કુદરત ખોળે જઇએ

પ્રેમ પ્રકૃતિ પ્રભુ એક છે જાણી લઇએં, ચાલો કુદરત ખોળે જઇ સુખ માણીએં

માનવી તેની બૌદ્ધિકકક્ષાને કારણે જ સૃષ્ટિના અન્ય તમામ સજીવો કરતા ઉત્કૃષ્ટત્તમ સ્થાન પામ્યો છે. તેની વિચારશીલતાને કારણે જ તે હંમેશા ઉડાણપૂર્વક, ઉડાણમૂલક અઘ્યયનો પ્રત્યે પોતાનું જ્ઞાન અને ઘ્યાન કેન્દ્રિત કરતો આવ્યો છે, તેથી જ તે સમુદ્રની લહેરોને જ નહીં તેના પેટાળના મૌકિતકોને પણ પ્રાપ્ત કરી શકયો છે.

વિશ્વની કોઇ પણ વિધાશાખાના સમદ્ધ જ્ઞાનકોશમાં આપણને જે-તે જ્ઞાન-વિજ્ઞાનના મૂળ તત્વને પામવાના પ્રયાસરૂપે જ પ્રાપ્ત થઇ શક્યા છે. ભારતીય તત્વચિંતનના ષડ્ દર્શનો આનું શ્રેષ્ઠ નિદર્શન છે. આમ સર્વ પ્રાચીન અને અર્વાચીન પૌર્વાત્ય -પાશ્ચાત્ય વિજ્ઞાનોનો આરંભ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સૃષ્ટિ વિજ્ઞાન મતલબ કે, સૃષ્ટિ ઉત્પતિ વિજ્ઞાનના નિરૂપણથી જ થાય છે.

પ્રકૃતિ, પર્યાવરણ અને સજીવખેતીને ઉતેજન આપવા હેતુ રામકષ્ણ ટ્રસ્ટ માધાપર, તા. ભુજ દ્વારા જાણીતા ગુજરાતી કવિ મહેશ સોલંકી ‘બેનામ’ દ્વારા લખાયેલા પ્રકૃતિ ગીતની સુંદર ઓડિયો સીડી ‘ચાલો કુદરત ખોળે’ કચ્છના જાણીતા સંગીતકાર અબ્દુલભાઇ ખાવરાએ સંગીત મઢીથી છે. આ એમ. પી.-૩ સીડીના બીજા ભાગમાં વંદે ગૌ માતરમ્ શીર્ષક સાથે વેદ પુરાણોના સમયથી જે ગાયની પૂજા-અર્ચના કરવામાં આવે છે તે ગાય આ પ્રકૃતિને આ માનવીને શું શું આપે છે તેની સચોટ વાત ગીતો દ્વારા કવિ મહેશ સોલંકી ‘બેનામ’ એ કરી છે.

‘ચાલો કુદરત ખોળે’ સંગીત અને લય છંદમાં તૈયાર કરેલું અનમોલ ઘરેણું છે, પરંતુ સંગીતના તજજ્ઞ પ્રબુદ્ધ વિવેચક જ આ સીડીના સંગીતની સૂઝ સાથે વિસ્તૃત વિવરણ કરી શકે, પરંતુ સંગીતકાર મિત્ર અબ્દુલ ખાવરા અને કવિ મહેશ સોલંકીની આ પ્રથમ ભેટને ગમતાનું કરીએ ગુલાલે ઉકિત સાથે આછેરું આચમન કરીએ.

પ્રથમ ભાગમાં નવ ગીતોને મૂકવામાં આવ્યા છે. આ. નવ ગીતો સમગ્ર પર્યાવરણની સંક્ષિપ્ત નોંધ જેવા કવિએ આલેખ્યા છે. આવો આપણે આ નવ ગીતોની શંખલાને સમજી લઇએ. પ્રથમ ગીતમાં ‘ઝાઝા વાવો ઝાડવા તો વરસે વરસાદ’ એ પંકિત સાથે વૃક્ષોનો મહિમાગાન કવિએ કર્યો છે. વૃક્ષ વગરની ધરતી રણ સમાન છે. પરોપકારી મૂંગા સંતો જેવા વૃક્ષો સંત લગી માનવ પર ઉપકારી રહ્યા છે.

બદલામાં ફકત એક લોટો પાણીની અપેક્ષા સાથે રક્ષણની આશાએ વૃક્ષો માનવ જીવનમાં પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. તેવા અર્થોસાથે કવિએ ખુબીથી વૃક્ષોના જતન માટે અપીલ કરી છે.

બીજા ગીતમાં ‘વાંસમાં વહેતો જાય પવન’ શીર્ષક સાથે ‘બેનામ’ પર્યાવરણને પ્રદૂષિત થતો અટકાવવા અને સ્વરથ દીઘાર્યુ જીવન જીવવા પવનને શુદ્ધ રાખવાની વાત કરી છે. ત્રીજા ગીતમાં વરસાદના એક એક ટીપાંને બચાવવા અને સૂકી ધરતીને લીલીછમ કરવા ખેત તલાવડી અને પાણી બચાવની વાત ખેતર શેઢે તલાવડી ગાઇને કરી છે.

ચોથા ગીતમાં અળસિયાંની અગત્યતા દર્શાવવામાં આવી છે. અળસિયા રાત-દિવસ કચરાને સોનું કરી ધરતીને ધબકતી કેમ રાખે છે. તેની વાર્તા સાથે વાત રજૂ કરી છે. તો પાંચમા ગીત ‘ચાલો કરીએ સજીવ ખેતી’માં રસાયણિક ખાતરથી થતા નુકસાન અને સજીવખેતીથી થતા ફાયદાની સચોટ ઉપાયો સાથે છણાવટ કરવામાં આવી છે. છઠ્ઠા ગીતમાં ધરતીપરના વૃક્ષો કપાયાં અને પ્રદૂષણ વઘ્યાં છે.

જે પર્યાવરણના સંતુલનને કેટલા જોખમી નુકસાનો કરી રહ્યા છે તેની વાત કરી છે. તો સાતમાં ગીતમાં પાણીના મહત્વને સમજાવવામાં કવિ આરપાર પૂરા ઉતર્યા છે. આઠમાં ગીતમાં સજીવખેતી નવા યુગના દ્વારા ખોલી ખેડૂતોને આવકારી રહી છે, તો છેલ્લા અને અંતિમ ગીત ‘આજ ઝરે ઘનશ્યામ બુંદ થઇ’ વર્ષા જળના એક એક બુંદમાંથી પ્રકૃતિનો પ્રેમ ધરતી પર ઉતરે છે. અમૃતવર્ષાથી સમગ્ર જીવસૃષ્ટિ આબાદ થાય છે.

ખૂબ જ લયબદ્ધ રીતે કચ્છના કલાકારો ઓસમાણ મીર, પ્રગતિ મહેતા, અભિજીત ભટ્ટ, શાહીદ ધાફરાની કાસમ બેલીમ અને હંસાબેન ભટ્ટ સમગ્ર ગીતોમાં પોતાના સ્વરના કામણ પાથર્યા છે.

તો વાધવૃંદમાં અબ્દુલ ખાવરાની અનુભવી રાગિણી, લય, છંદ અને આરોહઅવરોહ સાથે ઓર્ગન પર મયૂર સોની, ગિટાર પર ઓજસ વોરા, વાંસળી પર અલોક વૈશ્ણવ, તબલાં-ઢોલક અને ઓકટોપેડ પર ચિંતન દવેએ એક-એક ગીતને જાણે નજાકત સાથે વાધના વાધા પરિધાન કર્યા છે, તો જીતેશ દવે દ્વારા દરેક ગીતની શરૂઆતમાં પ્રાસંગિકતા સભર પ્રસ્તાવના સમગ્ર સીડીમાં પ્રાણ પૂર્યા છે. આ સીડીના બીજા ભાગમાં ‘વંદે ગૌ માતરમ્’ શીર્ષક સાથે સાત ગીતોની શંખલા કવિ મહેશ સોલંકી બેનામના રૂપકડા રૂપકો સાથે લખાઇ છે, જેમાં ગૌમાતાની ગાથા રજૂ કરવામાં આવી છે.

ગાયનું મુખ્ય ઉત્પાદન દુધ નહીં ગોબર (છાણ) છે. એ કચરો નહી પણ સોનાસમું ખાતર છે. ગૌમુત્ર એ સેંકડો રોગોની રામબાણ દવા છે. કુદરતી ઉપચાર છે. તો ગૌવંશ એ ઉર્જાનો અક્ષત ભંડાર છે. આરોગ્ય, પુષ્ટિ, તૃષ્ટિ શ્રી અને સૌભાગ્ય દેનારી ગાયને ‘બિચારી’ ગણવામાં આપણું વિચારાપણું છતું થાય છે ધર્મોરક્ષતિ રક્ષિત: ની જેમ ગાવો રક્ષતિ રક્ષિત: સૂત્રને આત્મસાત કરવા કવિ મહેશ સોલંકી બેનામે આ ગીતોમાં અપીલ કરી છે.

આ બીજા ભાગમાં પ્રાસંગિક પ્રસ્તાવના જાણીતા કચ્છીકવિ જયંતીભાઇ જોશી ‘શબાબ’ એ પોતાના સ્વરે આપી છે, તો ગાયમાતાની આરતી સાથે ‘જીવોના જતનને માટે ધરતીને વરદાન મયું’ ‘છાણ સોનાની ખાણ રે ભાઇ સાંભળ મારા સંતાન કાં ગૌ માતા હેરાન ?’ ગૌચરમાં નજરું બગાડી, મથુરામાં કાન્હાને ગાય રોજ સાંભરે અને ‘વંદે ગૌ માતરમ’્ શીર્ષકગીતો કચ્છી કલાકારોએ ખૂબ જ ભાવથી રજૂ કર્યા છે.

કચ્છમાં નહીં ગુજરાતમાં પ્રથમવાર પર્યાવરણ અને ગૌ રક્ષા સાથે સજીવખેતી અને પ્રકૃતિ બચાવવાના ભાગરૂપે આ પ્રથમ ઓડિયો સીડી છે. કચ્છના પર્યાવરણપ્રેમી અને સજીવખેતી માટે સતત જાગતિ દાખવતા કવિ મહેશ સોલંકી ‘બેનામ’ની આ પર્યાવરણ વંદનાને અભિનંદન આપવા ઘટે, સાથે કચ્છી ગાયકવૃંદ અને વાધવૃંદના સમગ્ર કચ્છી કલાકારોને આવા બેનમૂન આલ્બમ માટે ખૂબ ખૂબ અભિનંદન સાથે એકવાત !! આ સીડીને અંતે સંજીવ ધારૈયાએ વાંસળી વાદન સાથે ગાયનેજે પ્રિય સંગીત છે તે પીરસ્યું છે.

જે સંગીત ગૌશાળામાં નિયમિત વગાડવામાં આવે તો ગાય પ્રફુલ્લત રહે છે અને દૂધ સાથે એક, એવી ઉર્જા ઉત્પન્ન કરે છે કે જે પર્યાવરણને શુદ્ધતા બક્ષે છે. આ ગૌ પ્રિય સંગીતમાં રાગ ‘લલિત’ બિભાસ અને રાગ ‘ભૈરવી’ની ખૂબ જ કર્ણપ્રિય ધૂનો સંજીભાઇ ધારૈયા અને અબ્દુલભાઇ ખાવરાના માર્ગદર્શન નીચે તબલાં પર સંગત મહેંદીહસને કરી છે.

ખૂબ જ ભાવસભર આ રાગો મનુષ્ય જીવનમાં પણ એટલાં જ પૃષ્ટિવર્ધક અને આનંદમય અનુભૂતિ અપાવે છે. આ બીજા ભાગના વાધકલાકારોમાં તબલા પર આરીફ સોરિઠયા ઢોલક પર મહંમદ ખાવરા અને સાઇડ રીધમ પર વિપુલ મહેતાનો કસબ કાબિલે સલામ છે. સમગ્ર સીડી દરેક પર્યાવરણ પ્રેમીએ વસાવવા યોગ્ય છે. આ સીડી માટે રામકષ્ણ ટ્રસ્ટ માધાપર, તા. ભુજનો સંપર્ક કરતા વિશેષ માહિતી મળી શકશે.

સૂર્યનગરી: જોધપુર

સૂર્યનગરી: જોધપુર
જયપુર તો જાણે પિંક સિટી તરીકે ઓળખાય છે પણ જોધપુર? જોધપુર સન સિટી તરીકે જાણીતું છે. જોધપુરને રાવ જોધાએ વસાવ્યું છે. જયપુર સ્થિત ઉમેદભવન પેલેસ દેશના સૌથી ભવ્યાતિભવ્ય બાંધકામમાં સ્થાન પામે છે. ઉમેદ ભવન પેલેસની ડિઝાઇન બ્રિટિશ આર્કિટેકચરલ પેઢી ‘લેન્કેસ્ટર એન્ડ લોજે’ તૈયાર કરી છે.
સામાન્ય રીતે મહેલો રાજા-મહારાજા-શહેનશાહ-સમ્રાટોનો વૈભવ દર્શાવવા માટે બંધાતા હોય છે. ઉમેદભવન પેલેસ જો કે સત્તા સંપત્તિનું નહીં પ્રજા વાત્સલ્યનું પ્રતીક છે. તે વખતે દુષ્કાળમાં સપડાયેલી પ્રજા બેકાર ન થઇ જાય તે માટે રાજાએ મહેલનું બાંધકામ શરૂ કરાવ્યું અને ૧૨ વર્ષથી વધુ સમય સુધી તે કામ ચાલ્યું. તે દરમિયાન હજારો કામદારોને રોજી-રોટી મળી. મહેલનું ઇન્ટિરિયર યુરોપિયન સ્ટાઇલનું છે.
૧૯૪૩માં ઉમેદભવન મહેલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાજશ્રી બેનરની ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’નું કેટલુંક શૂટિંગ અહીં થયું છે. જોધપુરની બાજીમાં સવાસો મીટર ઊચાઇ પર આવેલા મહેરાંગઢ પરથી શહેરનું રમણીય દ્રશ્ય દેખાય છે. મહેરાંગઢમાં સંગ્રહાલય છે. ત્યાં રજવાડી વારસો સચવાયો છે. ૧૫મી સદી દરમિયાન બનેલી શીપ કિલ્લા પર આજેય અડીખમ છે.
ચીનની દીવાલની ભારતીય આવૃત્તિ: કુંભલગઢ
કુંભલગઢ એક સમયે ખાધાન્નનો કોઠાર હતો. તેની વસ્તી ૩૦,૦૦૦ હતી અને ત્યાં ૩૫૦ જેટલા દેવાલયો હતા પણ શહેરનો ઉપયોગ ખાધ પુરવઠો સંઘરવા માટે થતો હતો. કુંભલગઢ ફરતે ૩૬ કિ.મી. લાંબી અને ૨૬ ફીટ પહોળી દીવાલ આવેલી છે. એ દીવાલ પરથી એકસાથે આઠ ઘોડા જોતરેલા રથ સહિતની સેના પસાર થઇ શકતી હતી. આ દીવાલને ચીનની દીવાલની તેની આવૃત્તિ ગણી શકાય!
દીવાલમાં કુલ સાત દરવાજા છે જે મજબૂત લાકડામાંથી બન્યા છે. આ ગઢનું બાંધકામ રાણા કુંભે કરાવ્યું હતું. જોકે વિધીની વક્રતા એ છે કે રાણા કુંભની હત્યા આ જ કિલ્લાની અંદર તેના દીકરા ઉદયે કરી હતી! ત્યાં એક બાદલ મહેલ છે. તેનાં રાણીવાસનું બાંધકામ એવી રીતે કરાયું હતું કે રાણીવાસમાં ચાલતી વાતો થોડે દૂર રાજા પોતાના ખંડમાં સાંભળી શકતો હતો!
રોમાન્સ નગરી: ઉદયપુર
આમ તો ઉદયપુર નામ જોતા ખરેખર તેને સૂર્યોદયનું શહેર ગણવું જોઇએ પણ તે સરોવરોનું શહેર છે. ભવ્યતાનું શહેર છે. રમણીયતાનું શહેર છે. રોમાન્સનું શહેર છે! જોધપુરથી ઉદયપુર ૨૭૫ કિલોમીટર દૂર છે. કોઇ પણ રસ્તે સરળતાથી પહોંચી શકાય છે. ઉદયપુર મહારાજા ઉદયસિંહે તેના વાસ્તુશાસ્ત્રીની સલાહથી વસાવેલું પાટનગર હતું. ઉદયપુરમાં કુલ ત્રણ તળાવ છે. ફતેહસાગર, પિછોલા તળાવ અને સ્વરૂપસાગર.
શહેરની વરચે લેક પેલેસ આવેલો છે. આજે તો આ પેલેસ જોવાલાયક હોટેલ બની ગયો છે. ઇતિહાસ એવો છે કે, મહારાજા જગતસિંહ બીજાને તેમના પિતાએ પિછોલા તળાવની વરચોવરચ આવેલા જગતમંદિરમા તેમના મહારાણી સાથે રોમાન્સ કરતા રોકયા અને કહ્યું કે પિકનિક કરવી હોય તો તમારો પોતાનો મહેલ બનાવો! જગતસિંહે તરત જ મહેલનું બાંધકામ શરૂ કરાવ્યું. ૧૭૮૬માં બનેલા એ મહેલનું નામ રખાયું લેક પેલેસ.
લેક સિટી ઉદયપુરમાં આગળ વધીએ તો ફતેહસાગર અને બાજુમાં નહેરુ બાગ આવેલો છે. જરા આગળ જઇએ એટલે ટેકરી ઉપર ૨૯ એકરમાં ફેલાયેલો વિલાસ પેલેસ છે. જોકે આજે આ પેલેસ પંચ તારક હોટેલ છે. ૧૮મી સદીમાં મહારાજા સંગ્રામસિંહે બનાવડાવેલો ઉધાન પણ જોવા જેવો છે. ઉધાનમાં પાંચ ફુવારા હતા અને તે એવી રીતે ચાલુ રહેતા કે ‘ટાપ ટિપ ટિપ ટિપ...’ એવું સંગીત સાંભળી શકાય!
ઉપરાંત ફરવા જેવું
પુષ્કર: પુષ્કરને તમામ તીર્થસ્થળોમાં પવિત્ર અને પુણ્યદાયક માનવામાં આવે છે. ભારતના બે પૈકીનું એક બ્રહ્મા મંદિર પુષ્કરમાં આવેલું છે.
અજમેર: અજમેર શરીફ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ માટે પ્રસિદ્ધ અને સાંસ્કૃતિક એકતાનું પ્રતીક.
નાથદ્વારા: બનાસ નદીના કિનારે વૈષ્ણવ સંપ્રદાયનું મુખ્ય તીર્થધામ નાથદ્વારા ભગવાન શ્રીકૃષ્ણના એક સ્વરૂપ માટે પ્રસિદ્ધ.
મહામરુસ્થલ તરીકે ઓળખાતું રાજસ્થાનનું રણ બે લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. કદની દ્રષ્ટ્રિએ તે જગતનું સાતમું મોટું રણ છે. રણ સપાટ રેતી, ટેકરીઓ અને ખાડા ખબડામાં વહેંચાયેલું છે.
રણના સૌંદર્ય ઉપરાંત પાકિસ્તાન સાથેનીસરહદ પણ એક આકર્ષણ છે. રણમાં પ્રકૃતિપ્રેમીઓ માટે પણ સૌંદર્ય ભરપુર છે. રણમાં ૨૩ પ્રકારના સાપ અને ૨૩ પ્રકારની ગરોળી જોવા મળે છે. સલમાન ખાન એન્ડ કંપની જેના શિકાર કેસમાં ફસાયેલી છે, એ કાળિયાર પણ જોવા મળી જાય.
જેસલમેર પાસે ‘ડેઝર્ટ નેશનલ પાર્ક’ આવેલું છે.
લુપ્ત: પ્રાય થઈ રહેલા પક્ષી ઘોરાડની થોડી વસ્તી હવે આ રણમાં જોવા મળે છે. આ બધા ઉપરાંત રણનું વાહન ઊટ અને તેની સવારી તો ખરી જ!

Kutchimadu